સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકો જિલ્લાનું મહત્વનું સેન્ટર છે. અહીં કચ્છથી અમદાવાદ મેઈન રોડ વચ્ચે ધ્રાંગધ્રા પડતુ હોવાથી છાશવારે ગોઝારા અકસ્માતોના બનાવો જોવા મળતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના હરીપર ગામ પાસે ટ્રેલરનું ટાયર ફાટતા અન્ય ટ્રેલર સાથ અથડાયું હતું. જેથી અકસ્માત સજાયો હતો. જેમાં 4 લોકોને ગંભીરઈજા પહોંચી હતી.આ અકસ્માતની ઘટનામાં એક ટ્રેલર ગાડી પલ્ટી મારી જતા સાઈડમાં ખાડામાં ખાબકી હતી. જેમાં બંને ગાડીના ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચતા લોકોએ એમને લોહિલુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી ગયા હતા.જેમાં હાજર તબીબ દ્વારા એમને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા. ત્યારે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં કોઈપણ અકસ્માતોના કેસ આવતા હોય છે, ત્યારે કોઈ સર્જન ડોક્ટર કે ઓથોપેડિક ન હોવાના કારણે પેશન્ટને રીફર જ કરવામાં આવે છે. ત્યારે સરકાર દ્વારા ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં કોઈ સારા ડોક્ટરોની નિમણુક કરવામાં આવે તેવી તેવી લોક માંગ ઉઠી છે.