એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે યોજાયેલી ચૂંટણીમાં સામે કોઈ ફોર્મ ન ભરાતા બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ચેરમેન પદે ફરી એકવાર શંકર ચૌધરીની અને વાઈસ ચેરમેન તરીકે ભાવાભાઈ દેસાઈની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

બનાસ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની આગામી અઢી વર્ષની ટર્મ માટે આજે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ચૂંટણી બેઠકમાં તમામ ડીરેકટર હાજર રહ્યા હતા. જેમાં શંકર ચૌધરી અને ભાવાભાઈ દેસાઈની બિનહરીફ વરણી કરવામા આવી હતી.

બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, બનાસ ડેરી દ્વારા હાલ દરરોજ પશુપાલક બહેનોના ખાતામાં દૂધના 34 કરોડ રૂપિયાની વધુની રકમ જમા કરાવવામાં આવી રહી છે. હવે દૂધની સાથે સાથે ગોબરને પણ પ્રોસેસ કરવાનું કામ હાથ પર લેવામાં આવ્યું છે.