ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ-નિર્માણ વિભાગના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ અને ખેડા જિલ્લા પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના અંતર્ગત જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ ખેડા નડિયાદ દ્વારા આઇ.ડબલ્યુ. એમ.પી -૧૭ લસુન્દ્રા પ્રોજેક્ટમાં ચેક ડેમ અને ગ્રામહાર્ટના ખાતમુર્હૂતનું આયોજન કરવામાં આવેલ છે.

તા.૨૧/૦૭/૨૦૨૨ ગુરુવારના રોજ સવારે ૯:૩૦ થી ૧૧.૩૦ કલાકે આઇ.ડબલ્યુ. એમ.પી -૧૭ પ્રોજેક્ટ કઠલાલ તાલુકાના લસુન્દ્રા ખાતે SMC કામોનું ખાતમુહુર્ત કરવામાં આવશે. જેમા ચેકડેમ અને ગ્રામહાટ મળી કુલ ૧૦ કામોનું પટેલ સમાજની વાડી હોલ, લસુન્દ્રા-ડાકોર રોડ, રાજ હોટલ ની સામે, દાજીપુરા, તા. કઠલાલ ખાતે ખાતમુહૂર્તનું આયોજન કરેલ છે.