મહુવા170 વિધાનસભા મત વિસ્તારમાં આવતા મહુવા તાલુકામાં આજરોજ સંપર્કથી સમર્થન કાર્યક્રમ અંતર્ગત મહુવા તાલુકાના  વિવિધ ક્ષેત્રમાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૯વર્ષના સુશાસન અને ગરીબ કલ્યાણના ભાગરૂપે મહુવા તાલુકામાં સંપર્કથી સમર્થન કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઇ રાઠોડે મહુવા તાલુકાના વિવિધ ક્ષેત્રના લોકો સાથે મુલાકાત લઈ સરકારના નવા વર્ષની કામગીરીની ચર્ચા વિચારણા કરી લોકોને માર્ગદર્શન આપ્યું હતું તેમજ આવનારી લોકસભા 2024 ની ચૂંટણીમાં ભાજપને સમર્થન મળે એવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.