લીંબડી એસટી ડેપોમાં મેનેજરને ફરજ પરથી ડિસમિસ કરતાં ચકચાર મચી જવા પામી છે. એસટી વિભાગની ઉચ્ચ કચેરી દ્વારા લીંબડી એસટી ડેપોના મેનેજરની હકાલપટ્ટી કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેપો મેનેજરને ડિસમિસ કરવા પાછળ ખોટી ડિગ્રી રજૂ કરાઈ હોવાનું કારણ સામે આવી રહ્યું છે. જો કે એસટી વિભાગના અધિકારીઓ હાલ તો ડેપો મેનેજરને ડિસમિસ કરવા પાછળનું સ્પષ્ટ કારણ જણાવવાનું ટાળી રહ્યા છે.એસટી વિભાગ દ્વારા ગોંડલના સંજયભાઈ પરમારને વર્ષ-2011માં ડેપો મેનેજર તરીકે ફરજ પર રાખવામાં આવ્યા હતા. 11 વર્ષથી વધુ સમય સુધી સંજય સુરેન્દ્રનગર, રાજકોટ સહિત જિલ્લાના એસટી ડેપોમાં ફરજ બજાવી હતી. એકાદ માસ અગાઉ સંજય પરમારને લીંબડી ડેપોના મેનેજર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.એસટી વિભાગ દ્વારા એકાએક સંજય પરમારને નોકરી પરથી બરતરફ કરી દેવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ડેપો મેનેજરને ડિસમિસ કરાતાં જ એસટી તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. ડેપો મેનેજરને ક્યાં કારણોસર ડિસમિસ કરવામાં આવ્યા તે રહસ્ય પરથી પડદો ઉઠ્યો નથી. પરંતુ એસટી વિભાગના જ વિશ્વસનીય વ્યક્તિએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે વર્ષ-2011માં સંજય પરમાર ફરજ પર લાગ્યા ત્યારે રજૂ કરેલી ડિગ્રી ખોટી હતી. ઘણાં સમયથી આ બાબતે એસટી તંત્ર છૂપી રાહે તપાસ કરી રહી હતી.યોગ્ય પુરાવા મળતાં ડેપો મેનેજરને ડિસમિસ કરવાનો નિર્ણય લેવાયો હતો. જો કે આ અંગે એસટી વિભાગના અધિકારીઓ સ્પષ્ટ કારણ જણાવવાનું ટાળી રહ્યા છે. ડેપો મેનેજરને ડિગ્રીને કારણે ફરજ પરથી બરતરફ કરવામાં આવ્યા તે કારણ બહાર આવશે તો આની પાછળ મોટું કૌભાંડ કે રેકેટ બહાર આવવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আলফাৰ চাৰ্জেণ্টে মেজৰ অচিন্ত মৰাণ ওৰফে ইয়াংখু অসমৰ ধলাৰ হাঁহখাটি মালভোগ গাঁৱৰ ঘৰখনত শোকাকুল পৰিৱেশ
আলফাৰ চাৰ্জেণ্টে মেজৰ অচিন্ত মৰাণ ওৰফে ইয়াংখু অসমৰ ধলাৰ হাঁহখাটি মালভোগ গাঁৱৰ ঘৰখনত শোকাকুল...
रानभाज्याचा प्रसार आणि प्रचार होण्यासाठी रानभाजी मोहोसत्वचे आयोजन फार महत्वाचे
- तहसीलदार वर्षा मनाळे
रानभाज्याचा प्रसार आणि प्रचार होण्यासाठी रानभाजी मोहोसत्वचे आयोजन फार महत्वाचे ...
પોશીના તાલુકાના લાંબડીયા ખાતે મકરસંક્રાંતિના પર્વને લઈ જરૂરિયાત મંદોને ધાબળા વિતરણ
લાંબડીયા ખાતે ધાબળા વિતરણ જરૂરિયાત મંદોને સાબરકાંઠા જિલ્લા ના પોશીના તાલુકાના લાંબડીયા ગામમાં...
BJP Update | ગુજરાત ગૌરવ યાત્રાનો આવતીકાલથી પ્રારંભ | Gujarat Election 2022 | Political Update
BJP Update | ગુજરાત ગૌરવ યાત્રાનો આવતીકાલથી પ્રારંભ | Gujarat Election 2022 | Political Update
তিতাবৰ পানীখেতি স্বাস্থ্যকেন্দ্ৰৰ জন আৰোগ্য সমিতি গঠন।কেন্দ্ৰটোৰ উন্নয়ণমূলক পদক্ষেপ গ্ৰহণ সিদ্ধান্ত।
তিতাবৰ মহকুমাৰ অসম-নাগালেণ্ড সীমান্তত থকা পানীখেতি স্বাস্থ্য আৰু কল্যাণ কেন্দ্ৰত আজি চৰকাৰী...