વધેલી ગામના 60 વર્ષીય ઇસમને એકલવાયું જીવન હોવાથી મનમાં લાગી આવતા ઝેરી દવા પીધી

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના વઘેલી ગામે રહેતા 60 વર્ષીય બચુભાઈ વિઠ્ઠલભાઈ બારીયા ની પત્ની ચંપાબેન બારીયા દોઢ વર્ષ પહેલા મરણ પામેલો હોય. જેના કારણે બચુભાઈ બારીયા નર એકલવાયું જીવન લાગતા ગત રોજ બપોરના 1:00 વાગ્યાના સમય દરમિયાન વઘેલી ગામે પોતાના ઘરે એકલતા લાગતા વિચારો આવતા મનમાં લાગી આવતા તુવેરમાં છાંટવાની ઝેરી દવા પી ગયા હોવાની ઘટના બની હતી. જેથી તેમના પુત્ર વસંતભાઈ બારીયા તેઓને તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર કર્યા બાદ વધુ સારવાર અર્થે તેઓને રાજપીપલા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. જ્યાં હાલ દર્દી સારવાર હેઠળ હોય અને દર્દી ભાનમાં હોવાનું જાણવા મળેલ છે. સદર ઘટનાની જાણ તિલકવાડા પોલીસને થતા તિલકવાડા પોલીસે કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.....