સુરેન્દ્રનગરના દુધરેજ પાસેથી પસાર થતી કેનાલમાં યુવાન પડી ગયો હોવાની માહિતી મળી હતી. આથી ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે દોડી જઇ 22 વર્ષના યુવાનની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે બે કલાકની જહેમત બાદ માત્ર લાશ હાથ લાગી હતી. તપાસમાં તે ખોડુ ગામનો હોવાનું બહાર આવ્યું હતું.સુરેન્દ્રનગર શહેર આસપાસમાંથી પસાર થતી કેનાલમાં અવારનવાર લોકોની લાશ મળવાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે દુધરેજ ગામ પાસે રાજપર રેલ્વેના નાળા પાસેથી પસાર થતી કેનાલમાં એક યુવાન ડુબી ગયો હોવાની ફાયર વિભાગને જાણ થઇ હતી. આથી ફાયર વિભાગ દેવાંગભાઇ દુધરેજીયા, અશોકસિંહ, સંજયભાઇ, દિવ્યરાજસિંહ, ધર્મરાજસિંહ, શક્તિસિંહ, સિધ્ધરાજસિંહ સહિત ટીમ ઘટનાસ્થળે જઇ તપાસ હાથ ધરી હતી. જેમાં કેનાલમાં યુવાનની શોધખોળ ચાલુ રખાતા બે કલાકની જહેમત બાદ કાળો શર્ટ પહેરેલા યુવાનની લાશ મળી આવી હતી. આથી લાશ બહાર કાઢી હતી. બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. આથી પોલીસે ઓળખ અંગે તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં યુવાન ખોડુ ગામનો જયેશભાઇ પ્રેમજીભાઇ મકવાણા હોવાનુ બહાર આવ્યુ હતુ. આથી લાશ પીએમ અર્થે રાજકોટ મોકલી આપી પરીવારજનોને સોંપવા કાર્યવાહી હાથ ધરાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tax Payers Relief Expectations | इस बजट से आम जनता को मिलेगी टैक्स से बड़ी राहत? | 80C | New Regime
Tax Payers Relief Expectations | इस बजट से आम जनता को मिलेगी टैक्स से बड़ी राहत? | 80C | New Regime
થરાદના મોરથલ ગામે 66 કે.વી. સબસ્ટેશનનું ભૂમિપૂજન કરતા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી
થરાદના મોરથલ ગામે 66 કે.વી. સબસ્ટેશનનું ભૂમિપૂજન કરતા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી
કાલોલ ના ઘોડા ગામના નાગરીકો દ્વારા બેફામ રેતી ખનન બાબતે મામલતદારને આવેદનપત્ર આપ્યુ
કાલોલ ની ગોમા નદીમાંથી રેતી ખનન નો મુદ્દો હાલ ચર્ચા મા છે કાલોલ અને આસપાસ ના ગામોમા ગેરકાયદેસર...
Google Map की मदद से मिनटों में मिलेगी पार्क की गई गाड़ी, बस फॉलो करना है ये आसान सा तरीका
जब हम घर से बाहर गाड़ी लेकर निकलते हैं तो सबसे बड़ी परेशानी कार पार्किंग को लेकर आती है और अगर...
Mumbai News: बुजुर्ग दंपत्ति ने Air India पर गंभीर आरोप लगाए, Airline से की मुआवज़े की मांग |Aaj Tak
Mumbai News: बुजुर्ग दंपत्ति ने Air India पर गंभीर आरोप लगाए, Airline से की मुआवज़े की मांग |Aaj Tak