યાત્રાધામ અંબાજી નજીક આવેલા ગબ્બર રોડ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે બાળકોનું મોત નીપજ્યું હતું. આજે દિલ દહલાવનાર આ ઘટના બનતા જ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પસરી છે.

અંબાજીથી ગબ્બર માર્ગ વચ્ચેની ઘટના બનતા સાંજના સુમારે પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું હતું. ગબ્બર રોડ પર આવેલા જુબલી વાવ પાછળ જંગલમાં તળાવ આવેલું છે. આ તળાવ પાસે બે નાના-નાના બાળકો બકરો ચરાવતા હતા. ત્યારબાદ બકરાઓ ઘરે પહોંચી જતા ઘર પરિવારે બાળકો ન આવતા શોધખોળ કરતા તળાવ પાસે ચંપલ મળતા ઘર લોકોએ પોલીસને જાણ કરી હતી.

આદીવાસી પરિવારનાં બાળકો તળાવમાં રમતા-રમતા પડ્યા હોય તેવું અનુમાન હાલમાં લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે એક બાળક રાહુલ આશરે ઉંમર 5 વર્ષ અને બીજા બાળકી જેની આશરે રમીલા ઉંમર 10 વર્ષના નામના ભાઇ-બહેનનું ડૂબી જવાથી મોત થયું હતું. સમગ્ર ઘટના બનતા પોલીસ અને ફાયર ફાઈટર ઘટના પહોંચ્યું હતું. ત્યારબાદ બંને બાલકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.