સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના મનહર પાર્ક પાસે અજાણ્યા યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. વધુમાં આ મૃતકના હાથ ઉપર જોશના અને છાતી ઉપર કમલેશ નામ લખ્યું હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે ચોટીલાના મનહરપાર્ક નજીક આવેલી અવાવરું જગ્યાએથી એક પુરુષની લાશ પડી હોવાની પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.ચોટીલાના મનહર પાર્ક પાસે અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું હતુ. વધુમાં મૃતક યુવાનના શરીર ઉપર ઈજાઓના નિશાન હોવાથી હત્યા થઈ હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ચોટીલા પોલીસે અજાણ્યા યુવાનની લાશનો કબજો પોલીસે મેળવીને યુવાન ક્યાંનો છે ? ક્યાં કારણોસર યુવાનનું મોત થયું ? તે અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.ચોટીલાના મનહરપાર્ક નજીક આવેલી અવાવરું જગ્યાએથી એક પુરુષની લાશ પડી હોવાની પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વધુમાં આ મૃતકના હાથ ઉપર જોશના અને છાતી ઉપર કમલેશ નામ લખ્યું હોવાનું પણ સામે આવ્યું હોવાથી પોલીસે એના આધારે મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ માટે ચોટીલા સરકારી હોસ્પિટલે મોકલી આપી મોત અંગેનો ગુન્હો દાકલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.