ખંભાત તાલુકાના નગરા ગ્રામ પંચાયત દ્વારા ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી નવીન ટ્રેકટર અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઈ રીક્ષા પંચાયતને ફાળવવામાં આવી હતી.જેનું ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

લોકાર્પણ દરમિયાન ધારાસભ્ય ચિરાગભાઈ પટેલનું સનમાન કરવામાં આવ્યું હતું. સરપંચ હર્ષાબેન પટેલ, ડે.સરપંચ ધનજીભાઈ ભરવાડ, તલાટી મંત્રી ઉપેન્દ્રસિંહ ઝાલા, તાલુકા પંચાયત સભ્ય રાજુભાઈ પટેલ,ગોવિંદભાઈ રબારી, સુનિલભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી સહિત ગ્રામજનો લોકાર્પણ દરમિયાન ઉપસ્થિતિ રહ્યા હતા.

(સલમાન પઠાણ- ખંભાત)