વર્ષાઋતુને પગલે સાવરકુંડલાના હાથસણી ગામ પાસે આવેલ શેલ દેદુમલ જળાશય ૬૦ ટકાથી વધુ ભરાયો

સાવરકુંડલા અને ધારી તાલુકાના ૧૦ ગામોને સતર્ક રહેવા સૂચના

જળાશયથી નીચેના વિસ્તારો કે ભાગમાં કે નદીના પટમાં અથવા કાંઠાના વિસ્તારમાં અવર જવર ના કરવા વાયરલેસ ઓપરેટર, અમરેલી ફ્લડ સેલ દ્વારા સૂચના જારી

અમરેલી તા.૦૭ ઓગસ્ટ, ૨૦૨૨ (રવિવાર) સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામ પાસે દેદુમલ નદી પર શેલ દેદુમલ સિંચાઈ યોજનામાં પાણીની આવક થતા તા. ૦૭/૦૮/૨૦૨૨ રવિવાર ૨૦.૦૦ વાગ્યાની સ્થિતિએ જળાશના ડિઝાઇન સ્ટોરેજ મુજબ જળાશયના પાણીની ટકાવારી હાલ ૬૦.૪૦ ટકા છે. જળાશયની નિર્ધારિત સપાટી/રુલ લેવલ (૧૭૭.૬૦) જાળવવા માટે વરસાદના લીધે જળાશયમાં પાણીની સતત આવક થતાં હવે ગમે ત્યારે જળાશયના દરવાજા ખોલવામાં આવે તેમ છે. આ સ્થિતિમાં વાયરલેસ ઓપરેટર, અમરેલી ફ્લડ સેલ દ્વારા સાવરકુંડલા તાલુકાના હાથસણી, નેસડી, કરજાળા, સીમરણ ઉપરાંત ધારી તાલુકાના શેલ ખંભાળીયા, દીટલા, નાના સમઢીયાળા, ઈન્ગોરાળા (ડુંગરી), કમી, કેરાળા ગામોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

       આ જળાશયથી નીચેના વિસ્તારો કે ભાગમાં કે નદીના પટમાં અથવા કાંઠાના વિસ્તારમાં વસતા હોય તેવા તમામને સાવચેત રહેવા અને એ વિસ્તાર કે આજુબાજુમાં અવર - જવર ન કરવા માટે અનુરોધ કરવામા આવ્યો છે. 

રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી