સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટના જજ પી.એસ.ગઢવી દ્વારા તેમની કોર્ટમાં ચાલતા સેશન્સ કેસ નં. 44/2021ના કામે આરોપી હિતેશભાઈ જયસુખભાઈ ખાખરોડીયા (દેવીપુજક), આરોપી જયસુખભાઈ ભુદરભાઈ ખાખરોડીયા (દેવીપુજક), આરોપી સુનિલભાઈ કિશનભાઇ ખાખરોડીયા (દેવીપુજક) રહેવાસી તમામ ખારવા, નવાપરા વિસ્તાર, તા.વઢવાણ ઉપર ક્રિ.પ્રો.કોડની કલમ-82 મુજબ આરોપીને હાજર થવા માટે જાહેરનામું ફરમાવવામાં આવ્યું છે.આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે આરોપી હિતેશભાઈ જયસુખભાઈ ખાખરોડીયા (દેવીપુજક), આરોપી જયસુખભાઈ ભુદરભાઈ ખાખરોડીયા (દેવીપુજક), સુનિલભાઈ કિશનભાઇ ખાખરોડીયા (દેવીપુજક)એ ઈ.પી.કો.કલમ 306, 498 (ક), 114 મુજબનો શિક્ષાપાત્ર ગુનો કર્યો છે, અથવા કર્યો હોવાનો શક છે. અને તે ઉપરથી કાઢેલા ધરપકડ વોરંટ ઉપર એવો શેરો થઈને આવ્યો છે કે, સદરહું આરોપી હિતેશભાઈ જયસુખભાઈ ખાખરોડીયા (દેવીપુજક), આરોપી જયસુખભાઈ ભુદરભાઈ ખાખરોડીયા (દેવીપુજક), આરોપી સુનિલભાઈ કિશનભાઇ ખાખરોડીયા (દેવીપુજક) રહેવાસી તમામ ખારવા, નવાપરા વિસ્તાર, તા.વઢવાણ મળી આવતા નથી, અને એવી ખાતરી કરાવવામાં આવી છે કે, આરોપી ફરાર થયેલા છે અથવા સદરહું વોરંટ પોતાના ઉપર બજે નહીં તે માટે સંતાતા ફરે છે.આથી આ જાહેરનામું કાઢીને આરોપી હિતેશભાઈ જયસુખભાઈ ખાખરોડીયા (દેવીપુજક), આરોપી જયસુખભાઈ ભુદરભાઈ ખાખરોડીયા (દેવીપુજક), આરોપી સુનિલભાઈ કિશનભાઇ ખાખરોડીયા (દેવીપુજક)ને સદરહું ફરિયાદનો જવાબ આપવા સારું જાહેરનામું પ્રસિદ્ધ થયાના દિન-30મા સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટ સમક્ષ સવારના 10-30 કલાકે પોતાની જાતને સરન્ડર કરવા અથવા સેશન્સ જજ સમક્ષ હાજર થવા ફરમાવવામાં આવ્યું છે.