સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ હાઇવે પર છાલીયા તળાવ પાસેની એક હોટલના ટી સ્પોટમાં કોઇ અગમ્ય કારણોસર ભયાવહ આગ લાગી હતી. અને પળવારમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા હોટલના ટી સ્પોટના ફર્નિચર સહિતની તમામ ચીજવસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ હતી.ત્યારે બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ ભયાવહ આગ પર મહદઅંશે કાબુ મેળવવામાં સફળતા મળી હતી. લીંબડી રાજકોટ હાઇવે પર લીંબડીથી ચાર કિલોમીટર દૂર છાલીયા તળાવ પાસે એલએફએમ નામની હોટલ આવેલી છે. જ્યાં બપોરના સમયે આ હોટલના ટી સ્પોટમાં કોઇ અગમ્ય કારણોસર આગ લાગતા પળવાર માટે અફડાતફડી મચી જવા પામી હતી. ત્યારે થોડીવારમાં જ આ ભયાવહ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા હોટલનો તમામ સ્ટાફ અને આજુબાજુના લોકોએ ઘટનાસ્થળે દોડી જઇ આગ બુઝાવવા પાણીનો જોરદાર મારો ચલાવ્યો હતો અને બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ ભયાવહ આગ પર મહદઅંશે કાબુ મેળવવામાં સફળતા મળી હતી. પરંતુ ત્યાં સુધીમાં તો આ હોટલના ટી સ્પોટના ફર્નિચર સહિતની તમામ ચીજવસ્તુઓ હોટલ માલિક અને સ્ટાફની નજર સામેં જ બળીને ખાખ થઇ જતા હોટલ માલિકને મોટું નુકશાન પહોંચ્યું હતુ. ત્યારે કદાચ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જેસરમાં જુના પા ગામે લમ્પી વાયરસને લઈને બળદનું મોત નીપજ્યું
જેસરમાં જુના પા ગામે લમ્પી વાયરસને લઈને બળદનું મોત નીપજ્યું
ગુજરાત પ્રવાસન વિભાગ તરફથી sp યુનિવર્સિટી ના ગુજરાતી વિભાગ દ્વારા ભવન્સ કૉલેજ ડાકોર ના પ્રોફેસર સ્ટાફે પ્રવાસી મુલાકાતે...
ગુજરાત પ્રવાસન વિભાગ તરફથી શરૂ કરાયેલ પ્રકલ્પ અંતર્ગત સરદાર પટેલ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ...
મોઘવારીનાં વિરોધમાં ઇડર શહેર કોંગ્રેસ દ્રારા યોજાઈ રેલી
મોઘવારીનાં વિરોધમાં ઇડર શહેર કોંગ્રેસ દ્રારા યોજાઈ રેલી
वलांडी येथील सरसकट सर्वच अतिक्रमण काढण्याची अन्याय अत्याचार भ्रष्टाचार विरोधी समितीची मागणी
वलांडी येथील सरसकट सर्वच अतिक्रमण काढण्याची अन्याय अत्याचार भ्रष्टाचार विरोधी समितीची मागणी
શિક્ષણમંત્રીના જિલ્લામાં જ દિયોદરના નરાણા ગામની આંગણવાડી જર્જરિત
શિક્ષણમંત્રીના જિલ્લામાં જ દિયોદરના નરાણા ગામની આંગણવાડી જર્જરિત