રાજસ્થાનના સિરોહી જિલ્લાના આબુ રોડ નજીક ચંદ્રાવતી કટ પાસે પાર્ક કરેલી ટ્રકની પાછળ પાલીથી આવી રહેલી મુસાફરોથી ભરેલી કાર અથડાઈ હતી. આ અકસ્માતમાં 4ના મોત થયા હતા અને 8 ઘાયલ થયા હતા. પાલીમાંથી ભાઈના મૃત્યુ બાદ બેસણામાં જતી વખતે આ દુર્ઘટના ઘટી હતી.કારમાં બંને પરિવારના 12 લોકો સવાર હતા.

આ અંગે રિકો સ્ટેશન ઓફિસર સુરેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, ડ્રાઈવર સહિત 8 ઘાયલોને આબુ રોડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કારમાં બંને પરિવારના લોકો સવાર હતા. તમામ લોકો પાલી જિલ્લાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના માનપુર ભાકરીના રહેવાસી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારની આખી છત ઉડીને ફસાઈ ગઈ હતી.

ઘાયલો લાંબા સમય સુધી વાહનમાં ફસાયેલા રહ્યા. પોલીસે લોકોની મદદથી ઈજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢી આબુ રોડ પર આવેલી સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. શાનુના ભાઈનું 5 એપ્રિલના રોજ અવસાન થયું હતું. મૃત્યુના ચાર દિવસ પછી બેસણામાં જતા હતા. કારમાં શાનુ અને તલસારામના પરિવારના લોકો હતા. આબુરોડ પરત આવતી વખતે આબુ રોડ ચંદ્રાવતી કટ પાસે ક્રુઝર વાહન પાર્ક કરેલી ટ્રક સાથે અથડાયું હતું. અકસ્માતમાં કારની આખી છત ઉડી ગઈ હતી.

કમનસીબ મૃતક

1: તલસારામ બાબુજી કિર ઉં. 60,

2: શાનું કાલુ કિર ઉં. 35

3: પિંકી સુરેશ કિર ઉ. 40

4: બુદારામ પુનારામ કિર ઉ. 55 (તમામ રહે. માનપુરા ભાખરી જિલ્લો પાલી)