દસાડાના ગવાણા વરમોર વચ્ચે હાઇવે રોડ પરથી અકસ્માત થયેલી એછવાડાના યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે કોઇ અજાણ્યા વાહનની અડફેટે આ યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હોવાની આશંકા સાથે દસાડા પોલીસે અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.દસાડા પોલીસ મથકની હદમાં આવતા ગવાણા-વરમોર રોડ પરથી સવારના સુમારે હાઇવે રોડ પરથી કોઈ અજાણ્યા શખ્સની અકસ્માત થયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જે બાબતની જાણ દસાડા પોલીસને થતા દસાડા પોલીસ મથકના પીએસઆઇ એચ.એલ.ઠાકર અને મનીષ અઘારા સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યારે આ વ્યક્તિ ક્યાંનો છે ? શું નામ છે ? જે કોઈ બાબતની માહિતી ના હોય જેથી પોલીસે આ વ્યક્તિની કોઈપણ માહિતી મળે તો દસાડા પોલીસ મથકે જાણ કરવા જણાવવાની સાથે મૃતકના ફોટા સોશિયલ મિડિયામાં વાયરલ કર્યા હતા.બાદમાં આ યુવાન પાટડી તાલુકાના એછવાડા ગામનો 25 વર્ષનો દેવીપૂજક યુવાન આસીકભાઇ દિનેશભાઇ ચુંવાર હોવાનું ખુલવા પામ્યું હતુ. ત્યારે હાઇવે પર રાત્રીના અંધારામાં કોઇ અજાણ્યા વાહનની અડફેટે આ યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હોવાની આશંકા સાથે દસાડા પોલીસે અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ દસાડા પોલીસ મથકના મનીષભાઇ અઘારા ચલાવી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰহা মহাবিদ্যালয় Induction প্ৰোগ্ৰামত ১৫০জন শিক্ষাৰ্থীৰ অংশ গ্ৰহণ।
নতুন শিক্ষাৰ্থী সকলক ব্যবস্থা ৰ বিষয়ে জনোৱৰ উদ্দেশ্য আজি ৰহা মহাবিদ্যালয় কৃষ্ণকান্ত সন্দিকৈ...
ભૂપેન્દ્ર પટેલ જામનગરની કલેકટર કચેરી પહોંચી લંપી વાયરસ નિયંત્રણ માટે અધિકારીઓ સાથે બેઠક યોજી
ભૂપેન્દ્ર પટેલ જામનગરની કલેકટર કચેરી પહોંચી લંપી વાયરસ નિયંત્રણ માટે અધિકારીઓ સાથે બેઠક યોજી
આપઘાત: 4 વર્ષથી તૈયારી કરનાર
યુવાનને નોકરી ન મળતા આપઘાત કર્યો
અભ્યાસ પૂરો કરી સરકારી નોકરીની તૈયારી
કરતો’તો
રૂમ બંધ કરી ઇસ્ત્રીના દોરડાથી ફાંસો ખાઇ...
કલેકટર શ્રી અને ટ્રાફિક કમિશનર શ્રી ની આગેવાની માં ઓટો રીક્ષા યુનિયન દ્વારા મતદાન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો
નવલખી મેદાન ખાતે સવારે ૯.૩૦ કલાકે કલેકટર શ્રી અને ટ્રાફિક કમિશનર શ્રી ની આગેવાની માં વડોદરા ના...