તાલાલા તાલુકાનાં સુરવા ગીર ગામની મુસ્લિમ બાળાનું લગ્ન કરવાને ઈરાદે અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ બાળાની મરજી વિરુદ્ધ અવારનવાર બળાત્કાર કર્યાની ફરીયાદ તાલાલા પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે આ બનાવ અંગે મહુવા પોલીસ સ્ટેશનમાંથી તાલાલા પોલીસ સ્ટેશનમાં આવેલ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આંકોલવાડી ના નિલેશ ભુપત મકવાણા તથા મહેશ ભુપત મકવાણા બંનેએ લગ્ન કરવાનાં ઈરાદે સુરવા ગામેથી બાળા નું અપહરણ કર્યું હતું ત્યારબાદ નિલેશ મકવાણા એ બાળાની મરજી વિરુદ્ધ વારંવાર બળાત્કાર કર્યો હતો,આ બનાવ અંગે પોલીસે નિલેશ મકવાણા તથા તેને મદદગારી કરનાર મહેશ સામે આઈ.પી.સી.ક્લમ ૩૬૬,૩૭૬(૨) એન ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી પી.એસ.આઈ.રાકેશ મારૂ એ વધુ તપાસ હાથ ધરી છે