સુરેન્દ્રનગર: આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કલાઉત્સવ 2022 ની ઉજવણીમાં વિવિધ સ્પર્ધાઓમાં સ્વસ્તિક સ્કૂલના વિદ્યાર્થીઓ વિજેતા બન્યા. જેમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વાદન સ્પર્ધામાં શાહ રશેષ નિલેશભાઈ પ્રથમ નંબર અને બાળકવિ સ્પર્ધામાં વ્યાસ વિશ્વા કૃષ્ણકાંતભાઈ દ્રિતીય નંબર માધ્યમિક વિભાગમાં ચિત્ર સ્પર્ધામાં શિયાણીયા યેશા રમેશભાઈ દ્રિતીય નંબર પ્રાથમિક વિભાગમાં ચિત્ર સ્પર્ધામાં પરમાર રાજવી યોગેશભાઈ દ્વિતીય નંબર અને ગાયન સ્પર્ધામાં પરમાર ખ્યાતિ હાર્દિકભાઈ તૃતીય નંબર મેળવી માતા-પિતા તેમજ સમગ્ર શાળા પરિવાર નું નામ ઉજ્જવળ કરેલ છે. વિજેતા થયેલ દરેક વિદ્યાર્થીને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.