શ્રી ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળને વિવિધ અનુસ્નાતક ભવનો દાન કરનાર દાતાઓ પૈકી એમ.એડ વિભાગના "ઇન્દિરા નટવરલાલ શાહ" અનુસ્નાતક ભવનના દાતા મુરબ્બી શ્રી નટવરલાલ શાહને 99 વર્ષ થતાં તેમને અભિનંદન આપવાનો એક ભવ્ય સમારંભ મુંબઈ ખાતેના પાર્લા - જુહુ પાસેના જલારામ હોલમાં યોજાયો હતો.આ પ્રસંગે ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળના સેક્રેટરી શ્રી ડૉ. બંકિમચંદ્ર વ્યાસે સંસ્થા દ્વારા નટવરકાકાનું શાલ અને મોમેન્ટો અર્પી અભિવાદન કર્યું હતું.તેમજ જનરલ હોસ્પિટલ વતી કિશોરભાઈ શાહે નટવરકાકાનું અભિવાદન કર્યું હતું.

આ પ્રસંગે જાણીતા કવિ તુષાર શુક્લના વક્તવ્યથી પ્રસંગની ગરિમા વધી ગઈ હતી.તેમણે કાવ્યાત્મક વાણીમાં કુટુંબ જીવન અને સમૂહ જીવન વિશેની સાર ગર્ભિત રીતે રજૂઆત કરી હતી તેમજ જુના ગીતોની રસલ્હાણ માણી હતી.અભિવાદન કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં પરિવારના સભ્યો, સ્વજનો અને ગણ માન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.ટૂંક સમયમાં દાતા નટવરકાકાનું સન્માન કાર્યક્રમ ખંભાત ખાતે યોજાશે.

[સલમાન પઠાણ-ખંભાત]