સનાતન ધર્મનુ સૌથી મોટું આસ્થા કેન્દ્ર કાશી ધામ મું,કાહવા તા.કડી જીલ્લોઃ મહેસાણાના ભુવાશ્રી ધર્મરત્નરાજા બાપા, તેમના ચિરંજીવી ભુવાશ્રી ભગવાનભાઈ,કાસવા ધામના દિનેશભાઈ રબારી, વડવાળા મંદિરના કોઠારીબાપુશ્રી મુકન્દરામજી બાપુ, સ્વામીનારાયણ મંદિરના સંતોની પધરામણી સુરસાગર ડેરી ખાતે થઈ.કાસવા ધામ ખાતે ગોગા મહારાજના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આખુ સપ્તાહ ભજન,ભોજનના અનેરા સંયોગના વિરામ બાદ ધર્મરત્ન શ્રી રાજાબાપા દૂધરેજ ધામ ખાતે દર્શનાર્થે આવેલ ત્યારે સુરસાગર ડેરીના ચેરમેનશ્રીની વિનંતી સાથેના આગ્રહથી ભુવાજીએ ડેરી ખાતે પધરામણી કરેલ. તેઓની પધરામણી દરમ્યાન સુરસાગર ડેરીના ચેરમેનશ્રી બાબાભાઈ ભરવાડે સાલ, ફુલહારથી ભુવાશ્રી રાજાબાપા નું ભવ્ય સ્વાગત કરેલ. ભુવાશ્રી ભગવાનભાઈ નું સાલ-ફુલહારથી સ્વાગત ગોપાલભાઈ મુંધવાએ,દિનેશભાઈ નું સાલ—ફુલહારથી સમ્માન અજયભાઈ સભાડે એ તથા સ્વામીનારાયપણ સંપ્રદાયના સ્વામી મહારાજનું ફુલહાર તથા સાલથી સ્વાગત ભરતભાઈ મારૂએ કર્યું હતું.કોઠારી બાપુશ્રી મુકુંદરામ એ પોતાના આશીર્વચનમાં સુરસાગર ડેરી ગુજરાતની પ્રથમ હરોળની ડેરી બને અને પશુપાલકોની ઉન્નતિ થાય તેવા આશીર્વાદ આપેલ.ભુવાશ્રી ધર્મરત્ન રાજા બાપાએ ગોગા મહારાજના આશીર્વાદ પાઠવી દૂધ સંઘ વિકાસની હરણફાળ ભરે અને દૂધ હાલમાં ૫.૦ લાખ લીટર છે તે આવનારા બે વર્ષમાં ૧૦ (દશ) લાખ લીટર થાય તેવા આશીર્વાદ આપ્યા. સૌનો સાથ સૌનો વિકાસ અને વિના સહકાર નહીં ઉધ્ધાર ના સુત્રને સાર્થક કરવા સંચાલકોને આશીર્વાદ આપ્યા હતા.સ્વામીનારાયણ મંદિરના સંતે પણ આર્શીવચન આપી સ્વામીનારાયણ મંદિર ધ્વારા એમ.પી.શાહ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં તા.૨૯/૦૪/૨૦૨૩ થી તા.૦૫/૦૫/૨૦૨૩ સુધી આયોજન ભાગવત કથામાં પધારી કથાનો સહકુટુંબ લાભ લેવા ભાવભીનું આમંત્રણ પાઠવેલ છે.સુરસાગર ડેરી પરિવારનુ આયોજન જોઈ તમામ સાધુ સંત ભુવાશ્રીઓએ હરખથી મલકારી અનેરો સંતોષ વ્યકત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં દબાણદારોને બદલે સખી મંડળને નોટીસ આપતાં મંડળ સંચાલક બહેનોમાં રોષ ભભૂકી ઉઠયો
ડીસા તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં સખી મંડળોને દબાણના મુદ્દે નોટીસ ફટકારવામાં આવી છે. અન્ય દબાણ...
દસાડામાં જુગાર પર પોલીસના દરોડા :
છ શકુની ઝડપાયા
દસાડા ખાતે પોલીસે કોમ્બીંગ નાઈટ દરમ્યાન જાહેરમાં જુગાર રમતા છ જુગારીઓને રૂા.22,200ની રોકડ સાથે...
PM Modi in Telangana: सुबह की बड़ी खबरें | Chhattisgarh Election 2023 | Krishna Janmabhoomi | Bihar
PM Modi in Telangana: सुबह की बड़ी खबरें | Chhattisgarh Election 2023 | Krishna Janmabhoomi | Bihar
અમદાવાદના નવનિયુક્ત ટ્રાફિક D.C.P સફિન હસનનું અમદાવાદ ટ્રાફિક ની સમસ્યા સુધારવા નવું મિશન "# હવે નહી ચાલે"
તારીખ ૧ નવેમ્બર ૨૦૨૨ ના રોજ અમદવાદ શહેર ટ્રાફિક મા.D.C.P સફીન હસન ( I.P.S ) દ્વારા અમદાવાદ શહેર...