સનાતન ધર્મનુ સૌથી મોટું આસ્થા કેન્દ્ર કાશી ધામ મું,કાહવા તા.કડી જીલ્લોઃ મહેસાણાના ભુવાશ્રી ધર્મરત્નરાજા બાપા, તેમના ચિરંજીવી ભુવાશ્રી ભગવાનભાઈ,કાસવા ધામના દિનેશભાઈ રબારી, વડવાળા મંદિરના કોઠારીબાપુશ્રી મુકન્દરામજી બાપુ, સ્વામીનારાયણ મંદિરના સંતોની પધરામણી સુરસાગર ડેરી ખાતે થઈ.કાસવા ધામ ખાતે ગોગા મહારાજના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આખુ સપ્તાહ ભજન,ભોજનના અનેરા સંયોગના વિરામ બાદ ધર્મરત્ન શ્રી રાજાબાપા દૂધરેજ ધામ ખાતે દર્શનાર્થે આવેલ ત્યારે સુરસાગર ડેરીના ચેરમેનશ્રીની વિનંતી સાથેના આગ્રહથી ભુવાજીએ ડેરી ખાતે પધરામણી કરેલ. તેઓની પધરામણી દરમ્યાન સુરસાગર ડેરીના ચેરમેનશ્રી બાબાભાઈ ભરવાડે સાલ, ફુલહારથી ભુવાશ્રી રાજાબાપા નું ભવ્ય સ્વાગત કરેલ. ભુવાશ્રી ભગવાનભાઈ નું સાલ-ફુલહારથી સ્વાગત ગોપાલભાઈ મુંધવાએ,દિનેશભાઈ નું સાલ—ફુલહારથી સમ્માન અજયભાઈ સભાડે એ તથા સ્વામીનારાયપણ સંપ્રદાયના સ્વામી મહારાજનું ફુલહાર તથા સાલથી સ્વાગત ભરતભાઈ મારૂએ કર્યું હતું.કોઠારી બાપુશ્રી મુકુંદરામ એ પોતાના આશીર્વચનમાં સુરસાગર ડેરી ગુજરાતની પ્રથમ હરોળની ડેરી બને અને પશુપાલકોની ઉન્નતિ થાય તેવા આશીર્વાદ આપેલ.ભુવાશ્રી ધર્મરત્ન રાજા બાપાએ ગોગા મહારાજના આશીર્વાદ પાઠવી દૂધ સંઘ વિકાસની હરણફાળ ભરે અને દૂધ હાલમાં ૫.૦ લાખ લીટર છે તે આવનારા બે વર્ષમાં ૧૦ (દશ) લાખ લીટર થાય તેવા આશીર્વાદ આપ્યા. સૌનો સાથ સૌનો વિકાસ અને વિના સહકાર નહીં ઉધ્ધાર ના સુત્રને સાર્થક કરવા સંચાલકોને આશીર્વાદ આપ્યા હતા.સ્વામીનારાયણ મંદિરના સંતે પણ આર્શીવચન આપી સ્વામીનારાયણ મંદિર ધ્વારા એમ.પી.શાહ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં તા.૨૯/૦૪/૨૦૨૩ થી તા.૦૫/૦૫/૨૦૨૩ સુધી આયોજન ભાગવત કથામાં પધારી કથાનો સહકુટુંબ લાભ લેવા ભાવભીનું આમંત્રણ પાઠવેલ છે.સુરસાગર ડેરી પરિવારનુ આયોજન જોઈ તમામ સાધુ સંત ભુવાશ્રીઓએ હરખથી મલકારી અનેરો સંતોષ વ્યકત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
INDIA Alliance Meeting: Delhi में AAP और Congress की बैठक खत्म, सामने आया Mukul Wasnik का बयान
INDIA Alliance Meeting: Delhi में AAP और Congress की बैठक खत्म, सामने आया Mukul Wasnik का बयान
અમરેલીમાં વિશ્વ વયોવૃદ્ધ દિનની ઉજવણી નિમિત્તે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
અમરેલી ખાતે ૮૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા મતદારોને મતદાન પ્રક્રિયાની માહિતી આપવામાં આવી
આગામી...
આખોલ બ્રિજ પર ઘાસચારો ભરેલી ટ્રક પલ્ટી મારતાં અકસ્માત...
રોડ પર ઘાસચારાનો ઢગલો: ડીસા આખોલ બ્રિજ પર ઘાસચારો ભરેલી ટ્રક પલ્ટી મારતાં અકસ્માત, ચાલકને ઝોકું...
पैठणमध्ये शिंदे गटाकडून शिवसेनेचे मुखपञ असलेल्या 'दै. सामना'ची होळी
पैठणमध्ये शिंदे गटाकडून शिवसेनेचे मुखपञ असलेल्या 'दै. सामना'ची होळी
पाचोड (विजय चिडे)छत्रपती...
সোণাৰিত চৰাইদেউ জিলা প্ৰশাসনৰ উদ্যোগত স্বাধীনতা দিৱস উদযাপন
সোণাৰিত চৰাইদেউ জিলা প্ৰশাসনৰ উদ্যোগত স্বাধীনতা দিৱস উদযাপন।
জিলা উপায়ুক্ত পল বৰুৱাই উত্তোলন...