હીરાબા ચેરીટેબલ ટ્રસ્ટ ડો પ્રકાશભાઈ મોદી અને જીવ દયા ફાઉન્ડેશનના ઠાકોર દાસ જામનદાસ ખત્રી દ્વારા શ્રી નવા લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા પાલનપુરમાં ખાતે ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું...

પાલનપુરમાં આજ રોજ સવારે આઠ વાગે શ્રી નવા લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા ટેકરા વાળી સ્કૂલ માં ધોરણ એક થી આઠ ભણતા વિદ્યાર્થીઓ 272 નંગ ચપ્પલ વિદ્યાર્થીઓને આપવામાં આવી દરેક વિદ્યાર્થીને એક જોડી ચપ્પલ સેવા અર્થે પહેરવામાં આવ્યા હતા જે બદલ નવા લક્ષ્મીપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષણ ગણમાં ખુશી ફેલાઈ હતી આ સિવાય કાર્યમાં ડો પ્રકાશભાઈ મોદી જીવ દયા ફાઉન્ડેશનના જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી પરાગભાઈ સ્વામી અલકાબેન પ્રજાપતિ ભાવિન ખત્રી દિનેશભાઈ શર્મા સાહેબ હરિભાઈ વિષ્ણુ મહારાજ પોતાના કીમતી સમય આપીને સેવા આપી હતી શાળાના આચાર્યશ્રી નયનાબેન. ચૌહાણ શિક્ષક ગણ ખુશી સાથે આભાર વ્યક્ત કર્યો હતો...