થરાદ તાલુકાના વામી ગામે આપણા થરાદ ના લોક લાડીલા ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી સાહેબ શ્રી નો સ્નેહ મિલન કાર્યક્રમ યોજવા માં આવ્યો

આ કાર્યક્ર્મ ની અંદર ગામ ના તમામ વડીલો અને યુવાન મિત્રો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા..

આ પ્રસંગે થરાદ તાલુકા પંચાયત ના પ્રમુખ દાના ભાઈ માળી, થરાદ તાલુકા ભાજપના પ્રમુખ ઉમજી ચોહાણ, બનાસ મેડિકલ કોલેજ ના વડા પટેલ સાહેબ, થરાદ તાલુકા ભાજપના મહામંત્રી અભેરામ ભાઈ રાજગોર, જિલ્લા પંચાયત ના સદસ્ય રૂપસીભાઈ પટેલ, મદનલાલ પટેલ, ધરમશી ભાઈ પટેલ સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા..

માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબએ તેઓની ગ્રાન્ટ માંથી વામી ગામના વિકાસ ના કાર્યો માટે સાત લાખ રૂપિયા ની જાહેરાત કરવામાં આવી..

માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબશ્રી નું ગામના વડીલો અને યુવા મિત્રો નું ફૂલહાર અને સાફો પહેરાવીને સન્માન કરવા માં આવ્યું..