હિંમતનગરથી ઈડર જતા રોડ પર આવેલ હાંસલપુર પાસેના સાંઈ મંદિર નજીકથી પસાર થતા એક કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ગરનાળાની દિવાલ સાથે ટકરાતાં કારમાં જઈ રહેલા બે પૈકી એકનું મોત નિપજયુ હતુ. જે અંગેની ફરીયાદ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી

દિલીપભાઈ રામજીપ્રસાદ ગુપ્તાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા.ર૩ માર્ચના રોજ મોડી રાતે કાર જીજે.ર૭બીઈ.૪૯૧૭ લઈને જઈ રહેલા દિલીપભાઈ ગુપ્તાએ અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર રોડની સાઈડમાં આવેલ ગરનાળાની દિવાલ સાથે ટકરાઈ હતી. જેના લીધે દિલીપભાઈ ગુપ્તા તથા રાકેશ ગોપાલદાસ ગુપ્તાને ઈજા પહોંચી હતી. જે પૈકી ગંભીર ઈજાને કારણે રાકેશ ગુપ્તાનું મોત નિપજયુ હતુ. જે અંગેની ફરીયાદ શુક્રવારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.