ભવન્સ કૉલેજ ડાકોરનાં વિદ્યાર્થીઓએ વૃધ્ધાશ્રમની મુલાકાત લીધી. 

ભારતીય વિદ્યાભવન ડાકોર કેન્દ્ર સંચાલિત ભવન્સ કૉલેજ ડાકોરનાં અનુસ્નાતક વિભાગ(M.A., M.Com., M.Sc.)માં તારીખ-૨૧/૦૩/૨૦૨૩ નાં રોજ ડાકોરમાં આવેલા 'શાંતિલાલ મોહનલાલ શાહ અશક્તાશ્રમ સોસાયટી'ની મુલાકાત લીધી હતી. જેમાં ભવન્સ કૉલેજના PG ઇન્ચાર્જ ડૉ.વિરલ પટેલે કાર્યક્રમની ભૂમિકા રચી આપી હતી. અનાથાશ્રમનાં સંચાલક કે.બી. શાહે વિદ્યાર્થીઓને વૃધ્ધોનાં પ્રશ્નો, વૃધ્ધાશ્રમમાં વધતી જતી જનસંખ્યા વિશેનાં અનેક કારણો આપી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. આજના સમયમાં સમાજના લોકોમાં પારિવારિક ભાવના દ્રઢ કરી અને વડીલોનાં પ્રશ્નો આવનારી પેઢી સમજી શકે તેવા હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની આભારવિધિ પ્રા.મનોજ પરમારે કરી હતી. મોટી સંખ્યામાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

રીપોર્ટર = અનવર સૈયદ. ઠાસરા..ખેડા..