આઝાદીકા અમૃત મહોત્સવના ઉપક્રમે હરઘર તિરંગા કાર્યક્રમ હેઠળ સારથી શાળા વિકાસ સંકુલ કઠલાલ મુકામે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી નડિયાદ ના માર્ગદર્શનથી બાઈક તિરંગા રેલી યોજાઇ હતી. રેલીમાં કઠલાલ તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ૧૦૦ થી પણ વધુ કર્મચારીઓ જોડાયા હતા. ડી.ઇ.ઓ કચેરીના શિક્ષણનિરીક્ષક રણજીતસિહં ડાભી દ્વારા ભાનેર મુકામે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. કઠલાલ બજારમાં થઇ મામલતદાર ઓફિસ થઈ રેલી શેઠ.એમ.આર. હાઈસ્કૂલે પહોંચી હતી. ત્યા જિલ્લા શિક્ષણા અધિકારી શિલ્પાબેન પટેલની ઉપસ્થિતિમાં ભારતમાતાનુ પૂજન- આરતી કરવામાં આવ્યૂ. સમગ્ર આયોજન સારથી શાળા વિકાસ સંકુલના કન્વિનર બ્રીજેશભાઈ પટેલ તથા તેમની ટીમે કર્યું હતું.

આ પ્રસંગે ભાનેર કેળવણી મંડળના મંત્રી અરવિંદભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.