સરકારી નોકરી હશે તો રેશનકાર્ડનો લાભ નહીં મળે: આર્થિક સદ્ધર લોકો રેશનકાર્ડથી અનાજ નહીં મેળવી શકે, ડીસા મામલતદારે NFSA યોજનામાંથી નામ પાછું ખેંચવા અપીલ કરી

રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ મારફતે વિતરણ કરવામાં આવતું અનાજ આર્થિક સદ્ધરતા ધરાવતા અનેક કાર્ડ ધારકો પણ લે છે. ત્યારે આવા કાર્ડ ધારકોને સ્વેચ્છાએ પોતાનું નામ પાછું લઈ લેવા ડીસા ગ્રામ્ય મામલતદારે જાહેર અપીલ કરી છે. જો તપાસ બાદ આવા કાર્ડ ધારકો મળી આવશે તો તેઓની સામે ફોજદારી રાહે કાર્યવાહી કરાશે.