તારાપુર બેઠકના જીલ્લા પંચાયત સભ્ય અરવિંદભાઇ પરમારને સિંચાઇ સમિતિના ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવી તારાપુર-૧ જીલ્લા પંચાયત બેઠકના જીલ્લા પંચાયત સભ્ય અરવિંદભાઇ પરસોતમભાઇ પરમારને આણંદ જીલ્લા ભાજપ સંગઠનની મળેલ બેઠકમાં અરવિંદભાઇ પરમારને સિંચાઇ સમિતિના ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવી હતી જેને લઈ તારાપુર તાલુકા ભાજપ સંગઠન અને કાર્યકરો તેમજ સમર્થકોએ ખુશી વ્યક્ત કરી અને અરવિંદભાઇ પરમારને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી જીલ્લા પંચાયત સભ્ય અરવિદભાઇને ભાજપ સંગઠન દ્વારા અગાઉ પણ જીલ્લા પંચાયતમા આરોગ્ય સમિતિના સભ્યપદે નિમણૂંક પામ્યા હતા જેઓને હવે સંગઠને બીજી એક વખત જવાબદારી સિંચાઇ સમિતિના ચેરમેન તરીકે સોંપવામાં આવતા તાલુકા સંગઠન અને કાર્યકરોમાં ખૂશી જોવા મળી અને તેઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી

ખાસ રિપોર્ટ ભાવેશભાઇ આંજણા પટેલ પપ્પુભાઇ તારાપુર મો 6352249942 / 9924095287