અમદાવાદની એન.જી.ઓ. રેઈનબો ફોર્સ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત ઈ-મેગેઝિન કસુંબોના અંક દશમાં રાષ્ટ્રરત્ન સાવિત્રીબાઈ જોતિરાવ ગોવિંદરાવ ફૂલે વિશેના લેખનું આલેખન કરવા બદલ જિતેન્દ્રકુમાર મગનાજી ધનાજી ટાંક "કવિ જિમ"ને મેડલ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, કવિ જિમને ગત 25 ડિસેમ્બરે સાંસ્કૃતિક વારસાને લેખનકાર્ય દ્વારા ઉજાગર કરવા માટે ગાંધીનગરની એન.જી.ઓ. હેરિટેઝ એન્ડ કલ્ચરલ રિસર્ચ સેન્ટર દ્વારા "અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ 2022" એનાયત કરવામાં આવ્યો હતો.તેઓ છેલ્લા 28 વર્ષથી સાંસ્કૃતિક વારસો માટે સતત પ્રયત્નશીલ છે.તેઓ સ્વતંત્ર પત્રકાર અને ફોટોગ્રાફર પણ છે.સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શક કવિ જિમના 50 કરતાં વધુ વિષય પર 1000 કરતાં વધુ લેખ ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ દિલ્હી અને જમ્મુ કાશ્મીરના 60 કરતાં વધુ વર્તમાનપત્રો અને પત્રિકામાં પ્રકાશિત થઈ ચૂક્યા છે !