મહિસાગર જિલ્લા પ્રમુખ દશરથભાઇ બારીયા દ્વારા સામાજિક અને વ્યવસાયિક કારણોસર બાલાસિનોર તાલુકા અને શહેર મંડલ પ્રમુખ નિયમિત બેઠકોમાં ઉપસ્થિત ન રહેતાં નવા બાલાસિનોર તાલુકા મંડલ મંડલ પ્રમુખ તરીકે ચંદ્રસિંહ રામસિંહ પરમાર અને બાલાસિનોર શહેર મંડલ પ્રમુખ તરીકે મનોજભાઇ રાવજીભાઈ પટેલ ની વરણી કરવામાં આવી.

આ બન્ને કાર્યકરોની વરણી  બાલાસિનોર ભારતીય જનતા પાર્ટી અને માનસિંહ ચૌહાણબાલાસિનોર ધારાસભ્ય દ્વારા જિલ્લા પ્રમુખ ના નિર્ણય ને આવકાર્યો અને બન્ને નવ નિયુક્ત પ્રમુખ નું બાલાસિનોર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ફુલહાર સાથે અભિનંદન પાઠવ્યા હતા...