હિંમતનગર (મેરૂજી પ્રજાપતિ)

          

      

હિંમતનગર તાલુકાના શેલડીટીંબા ગામે પરિણીતાની ફાંસો ખાધેલ હાલતમાં મળેલ લાશને લઈ ચકચાર મચી જવા પામેલ ત્યારે કંકાસ કરી પરિણીતાને મૂઢમાર મારી સાસરિયાઓએ ફાંસો આપ્યો હોવાની ચર્ચા વહેતી થયેલ.

આ ચર્ચાસ્પદ બનાવ અંગે જાણવા મળ્યા પ્રમાણે અમદાવાદ માધુપુરાના પ્રજાપતિ અરવિંદજી ભેરાજીની પુત્રી વર્ષાબેન ના લગ્ન સામાજિક રીત રિવાજ પ્રમાણે શેલડીટીંબા ગામના ગોવીદજી જયરૂપજી સાથે થયેલ ત્યારે તા.૨/૩/૨૦૨૩ ના રાત્રીના ૨ કલાકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની જાણ ગંભોઈ પોલીસ સ્ટેશને તેના પતિ દ્વારા કરાયેલ છે.

 ત્યારે પિયર પક્ષઘટના સ્થળે પહોંચતા તેમની પુત્રીને મૂઢ માર મરાયેલ હોવાનું જાણવા મળતા પોતાની પુત્રીને મારમારી હત્યા કરાઈ હોવાની રજુઆત કરેલ.ફોટોગ્રાફ લીધેલ જેમાં સ્પષ્ટપણે મૂઢ માર માર્યો હોવાનું જણાઇ આવે છે.ત્યારે ચર્ચાઈ રહેલ કે બનાવ બન્યા પહેલા ગભૉઈ પોલીસમાં મૃતકના જેઠના દીકરા અશોકની પત્નીએ જાણ કરેલ કે મને માર મારેલ છે. વળી અશોક ઉર્ફે ટીનાએ પત્નીના સંબધો બાબતે અરજી કરેલ.જે સંબંધે તપાસ કરવા ગયેલ અને ત્યારબાદ વર્ષાબેનને પણ સાસરિયાઓ દ્વારા મૂઢ માર મરાયેલ અને ત્યારબાદ ગણતરી ના કલાકોમાં વર્ષાબેન ફાંસો ખાધેલ હોવાનું તેના પતિએ જાહેર કરેલ છે.ત્યારે હત્યાને આત્મહત્યા માં ખપાવવાની કોશિશ થઈ રહી હોવાના ચર્ચાસ્પદ બનાવ અંગે પોલીસ તટસ્થ તપાસ હાથ ધરે તે ઇચ્છનીય છે.