બોટાદ ખાતે અખિલ વિશ્વ ગૌ સંવર્ધન સંઘના પ્રમુખ અવધૂત રામાયણી બાપુ દ્વારા બોટાદ ખાતે આવેલ મહાકાલી મંદિરના મહંત શ્રી ભાવેશ બાપુ ની રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકેની નિમણૂક કરવામાં આવેલ છે.! બોટાદ મહાકાલી મંદિરે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો તેમજ બજરંગ દળ ના કાર્યકરો તેમજ ગામના નાગરિકોની હાજરીમાં પૂજ્ય શ્રી અવધૂત રામાયણી બાપુ દ્વારા શ્રી ભાવેશ બાપુને અખિલ ભારતીય ગૌ સંવર્ધન સંઘ ના કાર્યકારી પ્રમુખ તરીકેનો નિમણૂક પત્ર આપવામાં આવ્યો હતો.!

  આ સંસ્થાની મુખ્ય હેતુ એ છે કે કેન્દ્ર સરકાર દ્વારા ગાય માતાને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવામાં આવે અને આ બાબતે સરકારશ્રી દ્વારા નિર્ણય લેવામાં આવે તેવા હેતુ સાથે સમગ્ર ભારતમાં સંગઠનની રચના થઈ રહી છે ત્યારે બોટાદમાં આવેલ મહાકાલી મંદિરના મહંત શ્રી ભાવેશ બાપુ ની ભારતીય ગૌ સંવર્ધન સંઘના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. અને તેમને નિમણૂક પત્ર આપવામાં આવેલ હતો.!

શ્રી ભાવેશ બાપુની રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકેની નિમણૂક થતા તમામ લોકોએ આ નિમણૂક ને હર્ષભેર વધાવી લીધેલ હતી.