પાટણ જિલ્લા નાં રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે આવેલ હળકમાઈ  માતાજી  ના મંદિરે ભવ્ય જન્મોત્સવ ઉજવણી કરવામાં આવી. જેમાં ખૂબ મોટી સંખ્યામા ગ્રામજનો આગેવાનો યુવાઓ તથા માતાજી નાં ભુવાજી જેમલજી ઠાકોર તથા મફાજી ઠાકોર તેમજ રામજી મંદિર નાં પૂજારી કાશીરામ બાપૂ સહિત ઠાકોર સમાજ ના આગેવાનો અને સમસ્ત ગ્રામજનો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા..

મહત્વનું છે કે કલ્યાણપુરા ગામ ખાતે આવેલ હળકમાઈ માતાજી નું મંદિર વર્ષો જૂનું છે તેમજ આસ્થા નું કેન્દ્ર ગણાતા આ મંદિરે ભાવિ ભક્તો ની મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે હજારો શ્રદ્ધાળુઓ આ મંદિરે બાધા માનતાઓ રાખે છે જે શ્રધ્ધા રૂપી પરિપૂર્ણ થાય છે. રવિવાર નાં દિવસ એ માતાજી નો પ્રાગટ્ય દિવસ માની શ્રદ્ધાળુઓ ગ્રામજનો એ ભવ્ય ઉજવણી કરી હતી જેમાં માતાજી નાં મંદિર એ મહા પ્રસાદ બનાવી ભાવિ ભક્તો ને આપવામાં આવ્યો હતો.તેમજ માતાજી નાં મંદિર માં પુષ્પો તેમજ શણગાર શજી કેક કાપી ને માતાજી નો ઉત્સવ ઉજવ્યો હતો.જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.