ખેડબ્રહ્માની શેઠ કે.ટી. હાઇસ્કૂલના એસ.ઓનો વિદાય સમારંભ યોજાયો 

ખેડબ્રહ્મા શહેરની કેળવણી મંડળ સંચાલિત શેઠ કેટી હાઈસ્કૂલમાં એસ.ઓ. તરીકે ફરજ બજાવતા જીજ્ઞેશકુમાર અશ્વિનભાઈ જોશી વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં સ્કૂલના હોલમાં વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સમારંભના અધ્યક્ષ તરીકે આરડેકતા ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર આર.ડી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મંડળના પ્રમુખ અશ્વિનભાઈ જોશી સહિત કારોબારી સભ્યો હાજર રહ્યા હતા આ પ્રસંગે જીગ્નેશભાઈની સેવાઓને બિરદાવવામાં આવી હતી.અને શેષ જીવન સુખમય નીવડે તેવી શુભેચ્છાઑ પાઠવવામાં આવી હતી. જીજ્ઞેશભાઈની શાળાના આચાર્ય વિભાષભાઈ રાવલ તથા શાળા પરિવાર ધ્વારા મોમેન્ટો આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિવિધ શાળાના આચાર્ય, સામાજિક આગેવાનો સહિત મોટી સાંખ્યમા ઉપસ્થિત રહિ ફુલહાર તથા શાલથી સન્માન કર્યું હતું. અને મોમેન્ટો અર્પણ કર્યો હતો.