જૂનાગઢ જિલ્લા ના કેશોદ તાલુકા ના નાના એવા કાલવાણી ગામે ભગવાન શ્રી  ના મંદિરે પૂજ્ય ઘનશાયમ મહારાજ ની મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે સાથે અહીંયા દીક્ષા લીધેલ પાસચો પરમહંસ ની સુંદર મૂર્તિઓ સાથે ના મંદિર નું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે વડતાલ ધામ ના આચાર્યશ્રી 1008 રાકેશ પ્રસાદ મહારાજ ના હસ્તે વેદ મંત્રો અને શાસ્ત્રોક્ત વિધિ સાથે આ મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા અને મંદિર નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા ભરમાંથી હરિ ભક્તો અને સ્વામી શ્રીઓ ની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી આ સાથે કાલવાણી મંદિર ના નારાયણ પ્રિયદાસ સ્વામી ,કૃષ્ણ મુક્ત સ્વરૂપ સ્વામી ,પ્રિયદાસ સ્વામી તેમજ જૂનાગઢ ના પ્રેમ સ્વરૂપ સ્વામી ,ચેરમેન દેવ નંદન સ્વામી ,સહિત સ્વામી નારાયણ સંપ્રદાય ના વિવિધ સ્થળોએથી સ્વામીજી પધાર્યા હતા અને આવેલા હરિ ભક્તો ને દર્શન નો લહાવો આપ્યો હતો