સણોસરા ખાતે 'ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં ગુજરાતી સાહિત્યની ભૂમિકા' પર સંગોષ્ઠિ પ્રારંભ

સાહિત્ય અકાદમી અને લોકભારતી વિશ્વવિદ્યાલયનું આયોજન

સણોસરા ખાતે સાહિત્ય અકાદમી અને લોકભારતી વિશ્વવિદ્યાલય દ્વારા 'ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં ગુજરાતી સાહિત્યની ભૂમિકા' પર શ્રી ભદ્રાયુ વછરાજાનીના અધ્યક્ષ સ્થાને સંગોષ્ઠિ પ્રારંભ થયો છે.

આજ શનિવાર તથા આવતીકાલ રવિવાર દરમિયાનની આ સંગોષ્ઠિના પ્રારંભે શ્રી મનસુખ સલ્લાએ બીજ વક્તવ્ય આપ્યું. શ્રી વિનોદ જોષી, શ્રી વિશાલ ભાદાણી તથા ઓમપ્રકાશ નાગર જોડાયા હતા.

લોકભારતી ગ્રામવિદ્યાપીઠના શ્રી અરુણભાઈ દવે, શ્રી રામચંદ્રભાઈ પંચોળી, શ્રી હસમુખભાઈ દેવમુરારી, શ્રી કાંતિભાઈ ગોઠી વગેરે જોડાયા છે. સમગ્ર સંકલનમાં લોકભારતી વિશ્વવિદ્યાલયના શ્રી રાજેન્દ્રભાઈ ચોટલિયા તથા શ્રી દિનુભાઈ ચુડાસમા રહ્યા છે.