તારાપુર શહેરના અતિપૌરાણિક સોમનાથ મહાદેવ શિવાલય ખાતે શિવરાત્રીના દિવસે ભક્તો દર્શનાર્થે ઉમટ્યા

તારાપુર શહેરમાં આવેલ અતિપૌરાણિક સોમનાથ મહાદેવ શિવાલય ખાતે શિવરાત્રીના દિવસે સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં હજારોની સંખ્યામાં આવેલ ભાવિક ભક્તોએ બમબમ ભોલેના નાદથી તારાપુરના સોમનાથ મહાદેવના મંદિરને ગજવી નાખ્યું હતું આજે વહેલી સવારથી ભક્તોનો મહાશિવરાત્રીનો મહાઅભિષેક મહાપુજા તેમજ આરતી દર્શન માટે ધસારો રહ્યો હતો સાંજે ૭ વાગે મહા આરતી તેમજ મોડી રાતના ચાર પ્રહરની પૂજા અર્ચના ભાવિક ભક્તો કરશે જે પૂજા અર્ચના મોડી રાત સુધી નીજ મંદિર ખાતે ચાલશે આ દિવસે સાંજના સમયે મોટી સંખ્યામાં ભક્તો શિવાલયના દર્શનાર્થે આવતા હોય છે જેને ઈ અહિયાં નાનકડા લોક મેળા જેવા દ્રશ્યો થવા પામે છે