તારીખ: 04-03-2023 ને શનિવાર ના રોજ પાટીદાર શૈક્ષણિક ભવન જસદણ ખાતે યોજાનાર લાપસી પ્રસાદ મહોત્સવ ના અનુસંધાને માતાજી નો રથ તારીખ 18-02-2023 ને શનિવાર ના રોજ સવારે 3:00 વાગે *પટેલ વાડી( તીર્થ રેસીડેન્સી)* થી પ્રસ્થાન કરી *હિરપરા નગર 4, હિરપરા નગર 3, હિરપરા નગર 2,હિરપરા નગર 1, અર્જુન પાર્ક 2, અર્જુન પાર્ક 1, સ્વામિનારાયણ નગર 2, સ્વામીનારાયણ નગર 1, નીતિન પાન વાળી શેરી ,ભગવાન પરા વાળી શેરી, ભગવાન પરા, ભાડવાડી, જયરામ પ્લોટ, કે. કે. ચોક* એ પધરામણી કરશે.આ શુભ પ્રસંગે તમામ પાટીદાર પરિવારો બહોળી સંખ્યા મા હાજર રહી માતાજી ના દર્શન નો આપણે સૌ લાભ લઈએ. આ દરેક વિસ્તારમાં રથ ફરવાનો હોય જેમાં માતાજી ના લાપસી મા આપના તરફથી મળનાર યોગદાન સહર્ષ સ્વીકારવામાં આવશે. 

ઉપરોક્ત આયોજનમાં તમામ પાટીદાર પરિવારો માતાજીના રથ ના દર્શન કરવા જોડાય અને સાથે રૂટ માં વ્યવસ્થા માટે આવવા નું છે.દરેક પાટીદાર પરિવાર સુધી આ મેસેજ પહોંચાડવા વિનંતી...🙏🙏આ રથ ની સાથે લાપસી કાર્યક્રમ માં નીચે મુજબનો ફાળો અથવા તો વસ્તુ નું યોગદાન સ્વીકારવા માં આવશે.ઘઉં, ચોખા,ગોળ,તેલ,મસાલો,જીરું,કઠોળ તેમજ રસોઈમાં ઉપયોગી ચીજ વસ્તુઓ અને કોઈપણ પ્રકાર ની રોકડ રકમ સ્વીકારવામાં આવશે.

સંપર્ક માટે .. 97253 64900