આજથી ચાર વર્ષ પહેલાં તારીખ 14/02/2019 ના રોજ કશ્મીરના પુલવામામાં દેશના વીર જવાનો ઉપર કાયરતાપૂર્ણ હુમલો નાપાક આંતકવાદીઓએ કરી માં ભોમની રક્ષા કરતા દેશના વીર જવાન સપૂતો હુમલાને કારણે વીરગતિ પામી શહીદ થયા હતા જેમાં દર વર્ષે 14મીને ફેબ્રુઆરીએ કાળો દિવસ ગણી પુલવામા વીરગતિ પામનારા વીર શહીદોને સમગ્ર દેશ રડતી આંખે અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે જે અંતર્ગત આજરોજ હાલોલ નગરના અરાદ રોડ ત્રણ રસ્તા પર મહારાણા પ્રતાપ ચોક આવેલ શૂરવીર મહારાણા પ્રતાપની પ્રતિમા પાસેથી પુલવામાના વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હાલોલ તાલુકા ક્ષત્રિય યુવા સંગઠન,હાલોલ તાલુકા મહાકાલ સેના, અને હાલોલ ભાજપા સંગઠન દ્વારા રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં તમામ સંગઠનના યુવાનો,અગ્રણી મહાનુભવો સહિત મહિલાઓએ હાલોલ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ પટેલની અધ્યક્ષતમાં હાજરી આપી હાથમાં મીણબત્તી પેટાવી વીર શહીદોને યાદ કરી તેઓની માનમાં બે મિનિટનું મૌન પાડી તેઓની વીરગતિની ગાથાને યાદ કરી નતમસ્તકે અશ્રુભીની આંખે ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.