બાલાસિનોર નગરની આર્ટસ અને કોમર્સ કોલેજ માં એક દિવસ નો સ્વચ્છતા અભિયાન કેમ્પ યોજાયો જેમાં એમ એસ ડબ્લ્યુ અને એન એસ એસ ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ જેમાં બાલાસિનોર કોલેજ પ્રિન્સિપાલ ડૉ ડી પી માછી પણ આ શિબિર માં જોડાયા હતા.

વન-ડે કેમ્પ ના પ્રોગ્રામ ઓફિસર ડૉકટર એસ.એમ.ખોખર,પ્રો.તૃષા બારોટ,ડૉકટર ઉપેન્દ્રસિંહ ચંડેલ , વિક્રમ ભાઇ અને એમ.સી.દેસાઇ કોમર્સ વિભાગ માથી સેજલબેન ગામીત અને ૮૦ જેટલા એસ એસ ના સ્વયંસેવકો દ્વારા બાલાસિનોર કોલેજની સફાઇ કરવામાં આવી  અને પાણીથી સમગ્ર કોલેજને ધોવામાં આવી હતી. સમગ્ર કામગીરી ને બાલાસિનોર કોલેજ પ્રિન્સિપાલ ડૉકટર ડી.પી.માછીએ બિરદાવી હતી.