તા. ૧૨ થી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન ગબ્બર તળેટી ખાતે સાંત્વની ત્રિવેદી, કીર્તીદાન ગઢવી, પાર્થિવ ગોહીલ, સાંઇરામ દવે અને કિંજલ દવે સહિતના કલાકારો ભક્તિ રસની રમઝટ બોલવાશે.. ૧૨ ફેબ્રુઆરી થી ૧૬ મી ફેબ્રુઆરી-૨૦૨૩ દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે ધર્મ અને સંસ્કૃતિના સમન્વયને ઉજાગર કરતા 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' પ્રસંગે અંબાજી ગબ્બર તળેટી ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા કલેક્ટરશ્રી બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે સાંજે- ૭.૩૦ કલાકે ગબ્બર તળેટી પ્રવેશદ્વાર પાર્કિગ પાસે યોજાનાર આ કાર્યક્રમમાં તા. ૧૨ મી ફેબ્રુઆરીએ કલાકાશ્રી સાંત્વની ત્રિવેદી અને તા. ૧૩ ફેબ્રુઆરીના રોજ ખ્યાતનામ કલાકારશ્રી કીર્તીદાન ગઢવી સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી લોક ડાયરની રંગત જમાવશે. જ્યારે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તા. ૧૪ ના રોજ પાર્થિવ ગોહિલ, તા.૧૫ ના રોજ સાંઇરામ દવે અને તા. ૧૬ ફેબ્રુઆરીના રોજ કિંજલ દવે સહિતના કલાકારો ભક્તિ રસની રમઝટ બોલવાશે.રાજ્ય સરકાર તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આયોજીત 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' માં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર દ્વારા ભરતનાટ્યમ, પ્રાર્થના, ગરબો, શાસ્ત્રીય અને ભક્તિ સંગીત, રામની રમઝટ, દુર્ગા સ્તુતિ ભરત નાટ્યમ, લોક નૃત્ય ગરબો, ગરબે ઘૂમે, સંતવાણી સાહિત્ય મા આરાધના અને લોક ડાયરો યોજાશે. જેમાં ઉપસ્થિત રહેવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું .છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  રાજય સરકાર દ્વારા નાના માછીમારોને દિવાળીની ભેટઆઉટ બોર્ડ મશીન બોટધારકોને કેરોસીન સહાયની રકમ રૂ. રપ/- થી વધારી રૂ. ૫૦/- કરાઈ:વાર્ષિક મળવાપાત્ર કેરોસીનનો મહત્તમ જથ્થો ૧૪૭૨ લીટરથી વધારી ૧૫૦૦ લીટર કરાયો 
 
                      ફીશીંગ માટે કેરોસીનના બદલે પેટ્રોલનો વપરાશ કરતા આઉટ બોર્ડ મશીન બોટધારક માછીમારોને કેરોસીનના સમાન...
                  
   श्री खेड़ा माता गौशाला में पौधारोपण किया केशवरायपाटन  
 
                      श्री खेड़ा माता गौशाला में पौधारोपण किया
केशवरायपाटन 24 जुलाई। गामछ -भवानीपुरा स्थित श्री बारह...
                  
   गर्ल्स हॉस्टल के वॉशरूम में हिडन कैमरा मिलने पर CM नायडू ने लिया एक्शन, 300 फोटो और वीडियोज हुई थीं लीक 
 
                      Hidden Camera in Girls Toilet। आंध्र प्रदेश के मुख्यमंत्री चंद्रबाबू नायडू ने कृष्णा जिले के...
                  
   TET छात्रों पर लाठीचार्ज अन्याय-जाप सुप्रीमो पप्पू यादव  
 
                      जन अधिकार पार्टी के संरक्षक पप्पू यादव मंगलवार को बिहार के कटिहार जिले में प्रेस वार्ता को...
                  
   ઝાલોદ તાલુકાની સરકારી દુકાનોમાં પુરતુ અનાજ ન અપાતું હોવાના આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું 
 
                      ઝાલોદ તાલુકાની સરકારી દુકાનોમાં પુરતુ અનાજ ન અપાતું હોવાના આક્ષેપ સાથે ઝાલોદ પ્રાંત અધિકારીને...
                  
   
  
  
  
  