ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી ચૂંટણીમાં વિજેતા થયા બાદ પ્રથમવાર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત માટે દિલ્લી પહોંચ્યા હતા.. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઇ ચૌધરીએ દિલ્લી ખાતે પહોંચી પ્રધાનમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.. શંકરભાઇ ચૌધરીએ વિધાનસભાના અધ્યક્ષ તરીકેનો ચાર્જ સાંભળ્યા બાદ પ્રથવાર દિલ્લી પહોંચીને પ્રધાનમંત્રીએ સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની પણ શુભેચ્છા મુલાકાત કરી હતી.. અને શાલ અર્પણ કરી હતી..