ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં આજે બે રાજ્યના મુખ્યમંત્રીઓ જામનગરની મુલાકાત લેશે. સવારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તો બપોર બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જામનગરમાં પહોંચશે. સીએમ ભુપેન્દ્ર પટેલ લમ્પી વાયરસના વેક્સીન અને સારવાર સેન્ટરની મુલાકાત બાદ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે. મનપા સંચાલિત રસીકરણ અને સારવાર કેન્દ્રની પણ મુલાકાત લેશે. લમ્પી ગ્રસ્ત સારવાર લઈ રહેલા પશુ વિભાગની મુલાકાત લેશે. ત્યાર બાદ સીએમ કલેકટર કચેરી ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે. જામનગરમાં સીએમના આગમનને પગલે ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. 

તો બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બપોર બાદ ઓશવાલ સેન્ટર ખાતે વેપારીઓ અને પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ પોતાનો પ્રચાર પ્રસાર પૂર જોશમાં શરૂ કરી દીધો છે. દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આજે ફરી ગુજરાતમાં આવશે અને લોકો સાથે મુલાકાત કરશે.

તો બીજી તરફ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે.. આજે 1 વાગે અરવિંદ કેજરીવાલ જામનગર પહોંચશે. 3 વાગ્યે વેપારીઓ સાથે ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે. સાંજે 5 વાગે વડોદરા પહોંચશે. 7 તારીખે છોટાઉદેપુરના બોડિલીમાં સભા સંબોધશે. બોડેલીમાં ગુજરાતની જનતાને વધુ એક ગેરેંટી આપશે તેવી વાત ઈશુદાન ગઢવીએ કરી હતી