જાવલી ગામે રહેણાક મકાનમાં લાગેલી આગની ઘટના માં ઘર વખરી બરી ને થઇ ખાખ

મળતી માહિતી અનુસાર આ કામના જાહેરાત આપનાર દિલીપભાઈ જયરામભાઈ વલવી રહે જાવલી નીચલું ફળિયુ તાલુકો સાગબારા નાઓની માતા ગેદુબેન જયરામભાઈ વલવીએ જાવલી ગામે પોતાના ઘરમાં મચ્છરો ને ભગાડવા માટે ધુમાડો કરેલ હોય અને તે ધુમાડા માંથી આગનો તણખો ઊડીને આકસ્મિક રીતે દિલીપભાઈ જયરામભાઈ વલવીના ઘરમાં મુકેલા ડાંગરના પરારમાં પટેલ હોય અને જે તરખાને કારણે પરારમાં આગ લાગી જવાની ઘટના બની હતી આ ઘટનામાં ઘરમાં મુકેલ સર સામાન / ઘરના લાકડા / અંદાજિત એક ક્વિન્ટલ ડાંગર / 50 કિલો જુવાર / 20 કિલો તુવેર તથા / ઘાસચારો બરીને રાખ થયો હતો તે ઉપરાંત ઘર ઉપરની છત પડી જવાથી છત ઉપર મુકેલા સિમેન્ટના પતરા નંગ 12 તૂટીને પડી ગયા હતા સાથે જ ઘરમાં મુકેલા કપડાં પણ સરગી ગયા હોવાનું જાણવા મળેલ છે આગની બનેલી ઘટનામાં અંદાજિત 56.100 જેટલું નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે ઘટનાને પગલે સાગબારા પોલીસે જાણવા જોગ નો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે