સમગ્ર રાજ્યમાં તેમજ જિલ્લા અને તાલુકાની અંદર વ્યાજખોરોને લઈ ગામમાં પોલીસ અને સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ત્યારે ગુરુવારે ગાંધીનગર રેન્જના આઈજી અભય ચુડાસમા તેમજ મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીની અધ્યક્ષ સ્થાને સર્વ વિદ્યાલય કેમ્પસ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાજખોરી કરતા અને લોકોને હેરાન કરતા લોકોથી ડર્યા વિના કડીની જનતા પોલીસને જાણ કરે સાથે સાથે આ લોક દરબારની અંદર મોટી સંખ્યામાં લોકો તેમજ સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

કડી સર્વ વિદ્યાલય કેમ્પસ ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે ગુજરાત સરકાર દ્વારા આગામી સમયમાં એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી છે. જેમાં લોકો વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા જેવા અનેક બનાવો બની રહ્યા છે. જેને રોકવા માટે આ મુખ્ય લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગર રેન્જના આજે અભય ચુડાસમાં ઉપસ્થિત રહ્યાં હતા અને તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા એક મહિના માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી છે. વ્યાજખોરોના ત્રાસથી ઘણા કુટુંબો બરબાદ થઈ ગયા છે. આ વાતને જળમુડ નાબૂદ કરવાનું છે. જો બેંકની લોન સરળતાથી મળતી હોય તો લોકોને વ્યાજખોરો પાસે જવું પડે નહીં અને આ પણ  એક જાગૃતિનો પ્રયાસ છે. કોઈપણ વ્યાજખોર હોય અને કોઈ પણ મોટો માણસ હોય તમે ખાલી ફરિયાદ કરો પોલીસ પગલા લેશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકોને કોઈપણ ફરિયાદ હોય તો સીધો મારો સંપર્ક કરી શકે છે. પોલીસ છે તે કાયદાકીય કામ કરશે પણ જ્યાં સુધી તમે રજૂઆત નહીં કરો ત્યાં સુધી અમને ખબર પડતી નથી. પછી કેનાલમાં મૃતદેહ મળે છે. એક વખત માણસ ગુમાવ્યા પછી ફરિયાદ કરવાનો ખરેખર અર્થ હોતો નથી. કોઈપણ પગલું ભરતા પહેલા એક વખત જો પોલીસની મદદ લેશો તો સો ટકા પોલીસ સંપૂર્ણ તમારી મદદ કરશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અમે કોઈ પણ બાંધછોડ કરવાના મૂડમાં નથી.

સમગ્ર રાજ્યની અંદર વ્યાજખોરોના ત્રાસથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. જે હેતુથી આજે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગર રેન્જના આઈજી ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કડી અને કલોલને ક્રાઈમમુક્ત કરવાનું અભિયાન શરૂ કરવાના છીએ. અમારા સ્ટાફના માણસો પણ નાના મોટા વ્યાજે પૈસા ફેરવતા હોય તેવા દાખલા બન્યા છે. કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. કાયદો દરેક નાગરિક માટે સમાન હોય છે. પછી તે પોલીસ હોય કે પછી કોઈ રાજકીય માણસ હોય બધા માટે કાયદો સરખો જ હોય છે. તમે ફરિયાદ કરવાનું શીખો કોઈનાથી ડરવાની કે ફાટી પડવાની જરૂર નથી. કોલેજની દીકરીઓ પણ બેઠી છે. તો કોઈપણ જગ્યાએ એકલા નીકળો તમને કોઈપણ જગ્યાએ કોઈ પરેશાન કરતું હોય તો ખાલી પોલીસને ફરિયાદ કરી દો અને જાણ કરી દો તો તમને ચોક્કસ ફાયદો થશે.

મહેસાણા જિલ્લાના પોલીસ અધિક્ષક અચલ ત્યાગી ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, વ્યાજખોરોને ડામવા માટે પોલીસ દ્વારા એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી છે. વ્યાજખોરોનો મુખ્ય હેતુ એ છે કે જે માણસ વધારે વ્યાજની ઉઘરાણી કરીને તમારી પાસેથી પૈસા ઉઘરાવે આ વ્યાજખોરિની વ્યાખ્યામાં આવે છે. જેના પાસે વધારે પૈસા હોય અને બીજાને વ્યાજે પૈસા આપે અને ઉઘરાણી કરે જે કુળ પ્રથાને ડામવા માટે આજનો આ પ્રયાસ છે. કોઈપણ માણસ તમારા જોડે વધારે વ્યાજથી ઉઘરાણી કરી શકતા નથી.

તમે કોઈપણ સમયે પોલીસનો કોન્ટેક્ટ કરી શકો છો. જો તમારા ઘરે કોઈ પણ દબાણ કરવા માટે આવે કાં તો તમને કોઈ પરેશાન કરે અથવા તો ધમકી આપે તો સીધો જ 100 નંબર ઉપર કોલ કરવાનો. કડી પોલીસની ગાડી આવશે અને કાર્યવાહી કરશે અને ડરીને આપઘાતનો પ્રયાસ કરવો તેઓ મગજમાં કોઈને પણ રાખવાની જરૂર નથી. ગુજરાત પોલીસ તમારી મદદ કરવા માટે તત્પર છે. તમારી મદદ કરવા માટે પોલીસ પ્રયાસ હંમેશા માટે કરશે તેવું તેમણે જણાવ્યું હતું.