દિયોદર: ચીભડા ગામની ઉત્તર બુનિયાદી વિનય વિદ્યામંદિરમાં જાગૃત્તિ અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

દિયોદર તાલુકાના ચીભડા ગામની ઉત્તર બુનિયાદી વિનય વિદ્યામંદિરમાં વિદ્યાર્થીઓની જાગૃતિ અને કારકિર્દી માર્ગદર્શન માટે કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં દિયોદરના ડીવાયએસપી ડી. ટી. ગોહિલે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી.શાળાના આચાર્ય હમીરભાઇએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં ડીવાયએસપી ડી. ટી. ગોહિલે પોતાના અનુભવો વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યા હતાં. વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું હતું.ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓને પોસ્કો એક્ટ અંગેની જાણકારી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કનુભાઈ જોષીએ કર્યું હતું તેમજ આભાર વિધિ સોલંકી સાહેબે કરી હતી.આ પ્રસંગે હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ ચૌધરી, કોન્સ્ટેબલ ભરતભાઈ,કોન્સ્ટેબલ રઘુભાઈ જોષી સહિત શાળાનો સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.