ખંભાત તાલુકાના શકરપુર ખાતે જુના ઝઘડાની રીસ રાખી પગના ભાગે લાકડીના ફટકા મારતા ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

શકરપુર ખાતે રહેતા મીનાબેન કનૈયાલાલ પરમારની ફરિયાદ અનુસાર, મીનાબેન અને તેમના પતિ બંને શકરપુર ખાતે રહે છે.મીનાબેનના પતિ રાત્રિએ દૂધ લેવા ગયા હતા ત્યારે જુના ઝઘડાની રીસ રાખી તેજશભાઈ ગોવિંદભાઈ પરમાર આવી ચડી પગના ભાગે લાકડીના ભાગે ફટકા મારી ઇજાઓ પહોંચાડી હતી.જેને કારણે મીનાબેને ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.