ભાડથર ગામે ડો.પરબતભાઇ વેજાણંદ ભાઈ કંડોરિયા પરિવાર દ્વારા સંતો મહંતોના સાનિધ્યમાં એક લાખ એકાવન હજાર પાર્થીવેશ્વર મહાપૂજન તથા મહાભિષેક નું ભવ્ય આયોજન કરાયું હતું.આં આયોજનમાં દૂર દૂરથી લોકોએ ધર્મ લાભ લીધો હતો. હજારોની સંખ્યામાં ભાઈઑ બહેનોએ આં ધર્મ લાભ લીધો હતો. આ ભવ્ય ધર્મ કાર્યમાં સલાયા શહેર ભાજપ મહામંત્રી અને રઘુવંશી સમાજના અગ્રણી શ્રી લાલજીભાઈ ભૂવા તેમજ સલાયા શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ ભટ્ટએ પણ દર્શનનો લાભ લઈ અને સંતોના આશીર્વાદ લીધા હતા. તેમજ આં કાર્યક્રમના આયોજક ડો.પરબતભાઈ કંડોરિયાનું સન્માન લાલજીભાઈ ભૂવા દ્વારા કરાયું હતું.