મતદાન મથકથી ૧૦૦ મીટરની ત્રિજયાના 

વિસ્તારમાં જાહેર કે ખાનગી સ્થળે ચૂંટણી પ્રચાર કરી શકાશે નહીં

છોટાઉદેપુર: તા. ૦૧: 

 છોટાઉદેપુર જિલ્લામાં આગામી તા. ૦૫/૧૨/૨૦૨૨ના રોજ યોજાનારી ત્રણ વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા, જાહેર શાંતિ અને સલામતિ જળવાય રહે તેમજ ચૂંટણી મુકત ન્યાયી અને પવિત્ર રીતે થાય તે માટે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૨૯ તથા ૧૩૦ની જોગવાઇ અનુસાર મતદાન મથકોની અંદર તથા મતદાન મથકથી ૧૦૦ મીટરની ત્રિજયામાં આવેલ જાહેર કે ખાનગી સ્થળે ચૂંટણી પ્રચાર કરવા ઉપર છોટાઉદેપુર જિલ્લા મેજીસ્ટ્રેટ સુશ્રી. સ્તુતિ ચારણે જાહેરનામું બહાર પાડી ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.