પૂર્વ મધ્ય રેલવેના બરૌની સ્ટેશન પર નવી લૂપ લાઇન કમિશનિંગના સંબંધમાં નોન ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોક લેવામાં આવી રહ્યો છે. આને લીધે અમદાવાદ-બરૌની એક્સપ્રેસ અને કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનો પ્રભાવિત રહેશે. જે આ પ્રકારે છેઃ

શોર્ટ ટર્મિનેટ ટ્રેન

· 4 ડિસેમ્બર થી 6 ડિસેમ્બર 2022 સુધી અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 19483 અમદાવાદ-બરૌની એક્સપ્રેસ ટ્રેન દાનાપુર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ (સમાપ્ત) થશે.

· 6 ડિસેમ્બર થી 8 ડિસેમ્બર 2022 સુધી બરૌનીથી ઉપડતી ટ્રેન નંબર 19484 બરૌની-અમદાવાદ એક્સપ્રેસ બરૌનીને બદલે દાનાપુર સ્ટેશનથી ઓરિજનેટ (આરંભ) થશે. 

ડાયવર્ટ ટ્રેન

· 7 ડિસેમ્બર 2022 થી કામાખ્યાથી ઉપડતી ટ્રેન નંબર 15668 કામાખ્યા ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા ખગડિયા-મુંગેર-કિઉલના રસ્તે આવશે. 

પ્રતિનિધિ - રવિ બી. મેઘવાલ

Sms news 

@social_media_sandesh

#social_media_sandesh