કોંગ્રેસ ની સભા યોજાઈ

અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ પંચમુખી હનુમાનજીના મંદિર નજીક કોંગ્રેસની સભા યોજાઈ હતી જેમાં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસના કદાવાર નેતાઓ હાજર રહ્યા હતા જેમાં અમીરગઢ તેમજ ઈકબાલગઢ સહિતના મોટી સંખ્યામાં લોકો સભામાં હાજર રહ્યા હતા જગદીશ ઠાકોરે સભાને સંબોધતા ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા જોકે સભાને સંબોધન સંબોધતા જગદીશ ઠાકોર પોતાના પરિવારની વ્યથા કહેતા ચાલુ સભાએ રડી પડ્યા હતા.ગુજરાત વિધાનસભા ચૂંટણી મતદાન ચરમશીમાએ પહોંચેલું છે જેમાં બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભા બેઠકો ઉપર ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહિતના પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવી ઉમેદવારને જીતાડવા પ્રચાર પ્રસાર કરી રહ્યા છે જેમાં દાતા વિધાનસભા વિસ્તારમાં આવતા અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ પંચમુખી હનુમાનજીના મંદિરે કોંગ્રેસ ધારાસભ્ય અને ઉમેદવાર કાંતિભાઈ ખરાડી દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર તેમજ કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા જાહેર સભા સંબોધતા જગદીશ ઠાકોર ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા..