મતદાન શરૂ થવાના સમય પૂર્વેના ૪૮ કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ

લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૧૨૬ મુજબ મતદાન પૂરું થવાના કલાક સાથે પૂરા થતા ૪૮ કલાક એટલે કે, મતદાન શરૂ થવાના સમય પૂર્વેના ૪૮ કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે.

જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા, પક્ષના પ્રચારક વગેરે ચૂંટણી પ્રચારનો અંત આવતાં જે તે મત વિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્રએ તથા પોલીસ વહીવટી તંત્રએ ખાતરી કરવાની રહે છે.

પ્રથમ તબક્કામાં તા. ૨૯.૧૧.૨૦૨૨ ના જયારે 

બીજા તબક્કાની ચૂંટણી માટે તા. ૦૩.૧૨.૨૦૨૨ ના સાંજના ૫.૦૦ વાગ્યાથી ચૂંટણી પંચની આ સૂચનાઓનો અમલ કરાશે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.